બૈરૂતને બરબાદ કરી દેનારા અમોનિયમ નાઇટ્રેટનો જથ્થો ભારતમાં ક્યાં રખાયો છે?
લેબનાનની રાજધાની બૈરુતમાં બંદર પર સંગ્રહીને રાખેલા કેમિકલને કારણે થયેલા વિસ્ફોટે શહેરનો ખાસો એવો ભાગ તબાહ કરી નાખ્યો હતો.
આ વિસ્ફોટમાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. લેબનાનની સરકારે આ વિસ્ફોટ પછી રાજીનામું આપી દીધું હતું.
બૈરુતના બંદર પર અમોનિયમ નાઇટ્રેટના લીધે સર્જાયેલા ભયાનક વિસ્ફોટે વૈશ્વિક સ્તરે તેના સંગ્રહને લઈને ચિંતા ઉભી કરી દીધી છે.
આ કેમિકલ વિશ્વમાં વ્યાપક રૂપે વપરાશમાં છે કારણ કે ખાતર બનાવવા અને ખનન માટે વિસ્ફોટકો બનાવવા તેનો ઉપયાગ થાય છે.
પરંતુ આ કેમિકલનો સંગ્રહ કઈ રીતે અને કેટલા સમય સુધી કરવો તેને લઈને કડક નિયમનો છે.
ભારતમાં પણ અમોનિયામ નાઇટ્રેટનો મોટો જથ્થો ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
આ વિડિયોમાં જુઓ કયા-કયા દેશોમાં બૈરુત બ્લાસ્ટના પડઘ પડ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો